Thursday 28 August 2014


સાથીયો,

           આદિવાસી દેશના મુળનીવાસી છે. મુળનીવાસી હોવાથી જળ,જંગલ,જમીન પર આદિવાસીઓનો મૂળભૂત અધિકાર છે. પહેલા આ દેશમાં મુળનીવાસી લોકો હતા. ત્યારે આ દેશમાં લોકો ખુશ હતા. પણ જયારે આપણા ભારતમાં આયાઁ,મુગોલો,પારસીઓ,અગ્રેજો,પોર્ટુગીઝ વગેરે લોકો આવ્યા હતા. અને અહીના મુળમાલીકોને ગુલામ બનાવી દિધા. અહીના મુલમાલીકોને આયાઁએ ગુલામ બનાવી દિધા હતા. અગ્રેજો આવ્યા બાદ આયાઁ અગ્રેજોના ગુલામ બની ગયા હતા. તેમાં અહીના મુળમાલીકો આયાઁ, અગ્રેજોના ગુલામ બની ગયા હતા. મૂળ રાજા હતા. તે રાજાઓને હરાવવી દેવામાં આવ્યા. અને તમામ રાજ્યો અંગ્રેજોના હસ્તે થયા.૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજો ભારત છોડીને ગયા હતા.પણ આયાઁ ગયા નહી. અને ૧૯૪૭માં અંગ્રેજો આયાઁથી સ્વતંત્ર થયા હતા.પણ મુલમાલીકો ગુલામ જ રહીયા છે. આયાઁ એ બે રીતે લડાઈ લડીને આદિવાસીઓને ગુલામ બનાવી દેવામાં આવેલ છે.૧.અસ્ત્રો શસ્ત્રો ની લડાઈ ૨.શબ્દો ની લડાઈ. અને જળ,જંગલ,જમીન પર સરકારે કબ્જો કરી લીધો. આદિવાસી વિસ્તારમાં ડેમો,અભયારણ્ય,ફેક્ટરીઓ વગેરેથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવેલ છે. 
તિલકામાજી,બિરસામુંડા,ટંટીયાભીલ,પૂજાભીલ,તાનાભગત,દેવીચળવળ,ખાજનાયક,શિલ્પતરાજા,નંદરાજા વગેરે લોકોએ લડત આપી હતી. અને જીત હાસલ કરી હતી.પણ આડકતરી રીતે આદિવાસીને ગુલામ બનાવીને પોતાના અધિકારથી વંચીત રાખેલ છે.હાલમાં આદિવાસીઓ લડે છે. પણ અલગ અલગ સંગઠન બનાવીને લડે છે. NGO પણ સંગઠન બનાવીને લડે છે.પણ આ લડતોથી કોઈ ફેરફાર થયો નથી. ઉલટા આદિવાસી જ આમને સામને આવીને લડે છે. આદિવાસી જ મરી જાય છે.આ બધુ કરાવનાર સરકાર, આયાઁ, મુડીવાદી જવાબદારછે. 

આદિવાસીઓની સભ્યતા,મુલ્યો,સંસ્કૃતી,ભાષા,વગેરે પણ ખત્મ થઇ રહયું છે. અને વિકાસના નામે સરકાર આદિવાસી વિસ્થાપન કરી રહી છે. 

No comments:

Post a Comment