Wednesday 12 October 2016

Adivasi and State


નર્મદા ડેમની મુખ્ય કેનાલ નું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી તો પહોચાડવામાં આવ્યું. ડેમ/ કેનાલની આજુબાજુના આદિવાસીઓને પાણી આપવામાં આવ્યું નથી. આદિવાસીઓં સાથે પક્ષપાત રાખવામાં આવ્યુ છે. પાણી આપવામાં આવેલ નથી. તો આદિવાસી વિસ્તારો રહેતા તમામ આદિવાસીઓને ડેમોનું પાણી કેનાલો થકી પાણી પૂરું પાડો. ખાસ નર્મદા ડેમ, તાપી ડેમ માંથી મુખ્ય કેનાલો માંથી, સબ કેનાલો થકી, ઉમરગામ થી અબાજી સુધીમાં આદિવાસી લોકોના તમામ ગામોમાં નહેરો થકી પાણી પૂરું પાડો.
ગુજરાતમાં આદિવાસી ઓનેજ કેમ વિકાસ ના મેં કેમ? બલી નો બકરો બનાવવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિયર ડેમ, હોટલો, નર્મદા ડેમ ની ઉચાઇ વધારવી, એ તમામ કાર્યોમાં આદિવાસી જ વિસ્થાપિત થાય છે. આદિવાસીની જ જમીનો લુંટાઈ  છે. હુજી કેટલા આદિવાસીઓને  વિસ્થાપિત કરવાના છે જવાબ આપે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમોની ઉચાઇ વધારો કરવાથી પર્યાવરણનું મોટા પાયે નુકશાન થયા છે. તો કેમ કેન્દ્ર સરકારનું NGT( નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ) વિભાગ કેમ ચુપ છે.? પર્યાવરણનું મોટા પાયે નુકશાન ગુજરાત સરકાર થકી કરવામાં આવેલ છે. તેના પર  NGT તાત્કાલિક કાયદાકીય કામ કરે તેવી અમારી માંગ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામ ને કાયદાના ભંગ રૂપે તાત્કાલિક રોકવામાં આવે એવી અમારી માંગ છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોનો સમાવેશ ભારતીય બંધારણ મુજબ શીડયુલ ૫ માં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવે છે. પરતું સરકારની આદિવાસી વિરોધી માનસિકતાનાને કારણે શીડયુલ ૫ અનુસુચિત વિસ્તારમાં લાગુ કરવામાં આવતું નથી. પેસા કાયદાનું ગુજરાત સરકાર  ખુલ્લેઆમ ભંગ કરી રહી છે.  ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં  શીડયુલ ૫, PPESA ACT 1996 (પેસા કાયદા)નું અમલીકરણ કરો.
આદિવાસીનોને વિસ્થાપિત કરવા માટે આદિવાસીઓને પાયમાલ બનાવવા માટે શુરપાણેસ્વર, ઇકોસેન્સીટીવ ઝોન  અને જાંબુ ઘોડા ઇકોસેન્સીટીવ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. એ રદ કરો.
ગુજરાત માં બંધારણના અમલ માટે સામાજિક જાગૃતિ માટે કાર્ય કરતા યુવાનો ને પોલીસ થકી ખોટા કેસોમાં ફસાવવા માં આવી રહયા છે. તો આવા પોલીસ અધિકારી ઓ સામે તાત્કાલિક પગલા લેવામાં આવે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓની દીકરીઓને બિન આદિવાસીઓ થોડા રૂપિયાની લાલચ આપી ને ખરીદી કરી રહ્યા છે. બેટી બચાવો ના પ્રચાર ગુજરાત સરકાર કરે છે. તો પછી આદિવાસીની બેટીઓને કેમ બચાવ કરતા નથી?
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપતીને ગેરકાયદેસર લુંટવાનું કામ ચાલે છે. એ NGT ની NOC વગર ઉધોગો, માટી ખોદકામ, ખાણો વગેરેનું કામ થાય છે. એ બંધ કરો.
નર્મદા જીલ્લામાં ભૂમાફિયાઓ થકી આદિવાસીઓની ૭૩એએ જમીનો લુટવામાં આવી રહી છે. ૯૯ વર્ષના ભાડેપટા પર રાખવામાં આવેલ જમીનો રદ કરો. આદિવાસી ઓની જમીનો માં સિચાઈની સુવિધા નથી તેથી આદિવાસી પાયમાલ બની જાય છે. તેથી નજીવી કીમતમાં જ્મીનો આપી દેવું પડે છે. તેવી પરીસ્થિતિનું નિર્માણ ગુજરાત સરકાર થકી કરવામાં આવે છે.
યુનો થકી આદિવાસીનોને આંતરરાષ્ટીય આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવે છે. પણ ગુજરાત સરકાર આદિવાસીનો અસ્તિત્વ ખત્મ કરવા માટેની નીતિઓ બનાવી રહી છે. આદિવાસીઓના હિતમાં બનેલા કાયદાઓ ગુજરાત સરકાર તાત્કાલિક અમલ કરે.


Adivasi Issues, Gujarat.


                               
                                                                                INDIGENOUS STUDENTS ORGANIZATION
                                                                                વસાવા અશ્વિનભાઈ નાનાભાઈ
                                                                                મું. પો. વાડવા તા. દેડિયાપાડા
                                                                                જી. નર્મદા ગુજરાત-૩૯૩૦૪૧.
પ્રતિ,
રાજ્યપાલ ગુજરાત,
ગાંધીનગર,સે.૨૨.
વિષય: આઝાદ ભારતમાં આદિવાસીઓની ખરી પરીસ્થિતિ
જય આદિવાસી,
આદિવાસી વિસ્તારમાં બંધારણ ૧૯૫૦ મુજબ આપેલ આદિવાસીઓના અધિકારો જેવા કે પાંચમી સૂચીનું અમલીકરણ કરવું કારણ કે દેડિયાપાડા તાલુકો આદિવાસી વિસ્તારમાં સમાવેશ થયેલ છે. પી.પેસા કાયદો ૧૯૯૬, વન અધિકાર કાયદો ૨૦૦૬નું અમલીકરણ કરવું, વ્યક્તિગત અને સામુહિક દાવા અરજીઓનું નિકાલ કરવાનું કામ બાકી છે. લેંડ રેવન્યુ એક્ટ ૧૯૭૨નું કેમ અમલીકરણ કરતા નથી? દેડિયાપાડા તાલુકામાં ડુક્કરો, ગધેડાનું ત્રાસ લોકોને અને ખેડૂતોને વધુ માત્રમાં હેરાનગતિ થઈ રહી છે. દેડિયાપાડા તાલુકામાં ખુલ્લે આમ દારૂ, આંકડો, જુગાર જેવા ગેરકાનૂની કામો ચાલે છે. દેડિયાપાડામાં જ ગુરુકૃપા હોટેલની પાછળ જુગાર,આંકડો ચાલે છે. પોસ્ટ ઓફિસની પાછળ જુગાર,આંકડો ચાલે છે. ત્રિમૂર્તિ ટાયરની દુકાનની સામેની લાઈન જુગાર,આંકડો ચાલે છે. દેડિયાપાડા તાલુકામાં આવેલ તમામ ગામોમાં વિદેશી દારૂ, જુગાર,આંકડો ખુલ્લેઆમ ચાલે છે. દેડિયાપાડા તાલુકાના ગામોમાં પીવાનું પાણી, સિચાઈનું પાણીની તંગી ચાલુ છે. એ દર વર્ષેએ થાય છે. તેથી નર્મદા જીલ્લો આપણો જીલ્લો છે. એમાં ૨ મોટા ડેમો છે. કરજણ, નર્મદા એ ડેમોનું પાણી આ દેડિયાપાડામાં લાવવું અને લોકોને આપવું જરૂરી છે. દેડિયાપાડાના ગામોમાં વાસ્મો પ્રોજેકટ થકી પાણીની ટાંકીઓ બાધેલ છે. એમાં પાણીની સુવિધા કરવામાં આવેલ નથી. તો કામ ચાલુ કરી ને લોકોને પાણી આપવું, દેડિયાપાડા તાલુકામાં સરકારી દવાખાનામાં સુવિધા સારી નથી તો સુવિધા ઉપલબ્ધ કરાવવી.  દેડિયાપાડા તાલુકામાંની પ્રાથમિક શીક્ષકોની ખાલી પડેલ જગ્યાએ જગ્યા ભરવી. દેડિયાપાડા તાલુકામાં આદિવાસીઓની જમીનો લુંટવાનું કામ ચાલે છે. ગેરકાનૂની ઈટો ભટ્ટા ચાલે છે. એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં સરકારી ઓફીસોમાં યોજનાઓની અંગેના ફોર્મ મળતા નથી. પણ ઝેરોક્ષવાળાને ત્યાં મળે છે એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં આવાસોની યોજના નિષ્ફળ છે. કારણ કે હપ્તા સમયમાં મળતા નથી. રકમ ઓછી પડે છે. એક સાથે આપવું. રકમ વધારવી. વધુ  મોનીટરીંગ કરવું. બેંકમાં આદિવાસીનોએ બહાર છેક બજાર સુધી લાઈનમાં ઉભું રહેવાનું કેમ? દેડિયાપાડા તાલુકામાં હાટ બજારમાં હલકા પ્રમાણનું/ખરાબ ખાધપદાર્થોમાં ચીજવસ્તુ વેચાણ થયા છે. તો એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાંની કુપોષણ વધુ છે. તેના પર કામ કરવું પડે. આદિવાસી લોકોને યોજનાઓ વિશે વધુ વિગત જાણતા નથી તો જાહેર સભા કરી ને યોજના અને કાયદાકીય ટ્રેનીગ આપવું પડે. આદિવાસી આ દેશ મૂળ માલિક છે. તેથી એમની જાતીનો દાખલો કેમ વાંરવાર સરકારની ઓફીસમાં કઢાવો પડે છે? એ કાયદાની વિરોધમાં છે. જે જનસેવા કેન્દ્રમાં આદિવાસીઓ પર કામ અર્થે રૂપિયા લેવામાં આવે છે એ કાયદાની વિરોધમાં છે. આદિવાસીઓને લુંટવામાં આવે છે. અરે, સરકાર દેશના માલિક પર રૂપિયા લેવા લાગે તો પછી કેમનું ચાલે? આ સરકારોમાં અને અંગ્રેજ સરકારમાં શું ફર્ક? શું આદિવાસીઓને જ આ સમસ્યા કેમ? જો આ સમસ્યાનો આપ સરકારો પર હલ કરવાની આવડત ના હોઈ તો પછી આપની આ ગેરકાનૂની સરકારીતંત્રની જરૂર નથી. આ વિસ્તારમાં ભારતીય બંધારણ મુજબ પાંચમી સૂચી અને પી.પેસા એક્ટ ૧૯૯૬ લાગુ કરો. અને જે પંચાયતી રાજ મુજબ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા  પંચાયત ગેરકાનૂની/ગેરબંધારણીય કામો/કાર્યરત છે. એને તાત્કાલિક રદ કરો તો આદિવાસીને સ્વશાશન કરે અને આદિવાસીઓ જાતે વિકાસ કરે.
તા:૧૧/૦૫/૨૦૧૬                             ઓનર ઓફ ઇન્ડિયા
સ્થળ:દેડિયાપાડા                              વસાવા અશ્વિનભાઈ નાનાભાઈ
નકલ રવાના:-
૧. રાષ્ટ્રીયપતી
૨. કલેકટર નર્મદા/ પ્રાંત કલેકટર દેડિયાપાડા





Monday 7 March 2016

આદિવાસીઓ સાથે શાસકોના ષડયંત્રનો પર્દાફાશ

આદિવાસીઓ સાથે શાસકોના ષડયંત્રનો પર્દાફાશ
અશ્વિન એન વસાવા[1]
આદિવાસી એટલે આદિવાસી, આદિ-અનાદિ કાળથી વસનાર તે આદિવાસી” એનો મતલબ કે આ દેશનો પ્રથમ માલિક આદિવાસી છે. જળ, જંગલ, જમીન અને કુદરતી સંપત્તિ પરનો હક્ક-અધિકાર ફક્ત ને ફક્ત આ ભારત દેશમાં આદિવાસીઓનો જ કહેવાઇ. આ દેશમાં આદિવાસીઓ પર અભ્યાસ કર્તાઓ દ્વારા આદિવાસીઓને આદિવાસી, આદિમ જાતી, આદિમ જુથો, ગીરીજન, ભૂમિજન, રાનીપરજ, નેચરલ કોમ્યુનીટી, ભીલ, કાલીપરજ અને ભારતીય બંધારણમાં અનુસુચિત જનજાતિ તરીકે ઓળખ આપવામાં આવેલ છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન મુજબ આદિવાસી “એબોરીજનલ” છે. યુનાઈટેડનેશન ઓર્ગેનાઈજેશન મુજબ “ઈન્ડીજીનીયસ” તરીકે આદિવાસીઓને ઓળખ આપે છે. હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો મુજબ આદિવાસીઓને રાક્ષસ, દાસ, દસ્યુ, નિશાદાસ વગેરે નામો આપીને આદિવાસીઓને અપમાનિત કરવામાં આવ્યા, હાલમાં રામરહિમની ફિલ્મમાં આદિવાસીને માણસ ગણવામાં આવ્યો નથી. આ ભયજનક ષડયંત્ર ચાલુ છે.

       આર.એસ.એસ., વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ મુજબ આદિવાસીઓને “વનવાસી” તરીકે ગણીને આદિવાસીઓનું ઘોર જાહેરમાં અપમાન થઈ રહ્યું છે. અગ્રેજોએ આદિવાસીઓને “ક્રિમિનલ ટ્રાઈબ” તરીકે ઓળખતા હતા. એમણે “ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ ૧૯૨૪”માં બનાવીને આદિવાસીઓને ક્રિમીનલ તરીખે પહેચાન આપી હતી. શું આદિવાસીઓ ક્રિમીનલ છે ખરા?
ભારત દેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૦૪,૨૮૧,૦૭૪ અને ૮.૬ ટકા આદિવાસીઓની વસ્તી છે. ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૮૯૧૭૧૭૪ અને ૧૪.૭૫ ટકા વસ્તી છે.

આપણા દેશમાં બહારથી આર્યો, મુગલો, પોટુગીઝ, તુર્કી અને અગ્રેજો વગેરે વિદેશી આક્રમણકરીઓ આવ્યા હતા. મોટેભાગે જે લોકો બહારથી આવ્યા હતા. એ લોકો પાછા જતા રહ્યા. પણ આર્યો આ દેશ માંથી ગયા નથી. જે આર્યો કહેવામાં આવે છે એ જ બ્રાહ્મણો છે. એ લોકો એ આ દેશમાં જાતીવાદી “વર્ણવ્યવસ્થા” ઉભી કરેલ છે. આદિવાસીઓ વર્ણવ્યવસ્થા માં આવતા નથી. તેમ છતાં પણ આદિવાસીઓને જાતિવાદ માં ગણે છે. એ ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. આ દેશમાં તમામ સતાઓ પર બેસીને આ દેશની મૂળપ્રજા પર રાજ કરે છે. મૂળપ્રજાઓ વિદેશી લોકોઓને રાજ કરવા દે છે. એ માનસિક ગુલામી છે. એમાંથી આઝાદ થવું પડશે. ભારત દેશમાંથી ૧૯૪૭ના રોજ અંગ્રેજો આ દેશ છોડીને જતા રહ્યા અને આ દેશ મૂળપ્રજા ને સોપીને જવાનું હતું. The Transfer of Power in India 1945 પણ આ દેશમાં આર્યો વિદેશી બ્રામણઓ એ આ દેશ પર કબ્જો ક્રરી લીધો આ દેશ પર રાજ કરવા લાગ્યા છે.

પ્રથમ જે કોગ્રેસ પાર્ટી બનાવવામાં આવી એ પણ અંગ્રેજોના નેજા હેઠળ જ બનાવવામાં આવી તેથી એ કોગ્રેસ પાર્ટી પણ અંગ્રેજોની જ કહેવાઈ. એ પાર્ટીના મુખ્ય સંચાલકો બ્રામણ જ છે. એમાં આપણો કોઈ આદિવાસી પાર્ટી બનાવવા ગયેલો ખરો? તો પછી આવી પાર્ટીઓને શા માટે માનો છો? ૧૯૨૫મ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું, એમાંથી ભાજપ પાર્ટી પેદા થઈ એમાં પણ બ્રામણ જ મુખ્ય સતા પર છે. તો પછી આદિવાસીઓ કેમ ફાફા મારે છે? એ જ રીતે હિન્દુ, ખ્રીસ્તી, મુસ્લિમ વગેરે ધર્મો આદિવાસી ક્ષેત્રોમાં લાવ્યા. આદિવાસીઓને ધર્મની લેહમાં ચડાવી દીધા અને એ વિદેશી રાજ કરતા ગયા. આદિવાસીઓ આ ધર્મો આપણા પૂર્વજોના નથી તો હિન્દુ, ખ્રીસ્તી, મુસ્લિમની પાછળ શું લેવા જાવ છો? ખાસ આ હિન્દુ, ખ્રીસ્તી ધર્મો તૂટી પડો છો. શું આપણા બાળકો એમની ધર્મો સંસ્થાઓમાં ભણે છે એટલે! આદિવાસીઓ એ બધા સેવાના નામે બધું લુંટવા આવેલા છે એ જાણી લેજો.

ભારતીય બંધારણ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦માં જાહેર થયું જેમાં આદિવાસીઓ માટે ખાસ અલગથી બંધારણમાં હક્ક-અધિકારો આપવામાં આવેલ છે. અનુસૂચિત ક્ષેત્રો (કલમ ૨૧૧ (૧) અનુસુચિત જનજાતિઓની કલમ (૩૪૨)માં પ્રશાસન અને નિયંત્રણની બાબતમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. અનુસુચિત ક્ષેત્રો મહામહીમ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા અનુસુચિત ક્ષેત્રોની ધોષણા, પાંચમી અનુસૂચિમાં ભાગ (ગ) પેરા ૬(૧) દ્વ્રારા કરવામાં આવેલ છે. જે અનુસુચિત ક્ષેત્રો (આદિવાસી ક્ષેત્રો) વાળા રાજ્યોના નામો (જે પાંચમી સૂચિમાં આવે છે). ગુજરાત, ઝારખંડ, છતીસગઢ, ઓડીસા. આન્દ્રોપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન. પાંચમી સૂચી મુજબ આદિવાસીઓને સ્વ-શાશન કરવા માટે ખાસ કાયદો સંસદે પાસ કર્યો એ ભુરીયા કમિટીની ભલામણના લીધે સંસદમાં કાયદો બનાવવામાં આવ્યો. એ કાયદો “પંચાયતો કે ઉપબન્ધ અનુસૂચિત ક્ષેત્રો પર વિસ્તાર અધિનીયમ“The provisions of the panchayats extension to the scheduled areas” [PPESA] Act, 1996 No.40 of 1996(24th December, 1996). આ કાયદાને છુપાવવા માટે ભાજપ- કોગ્રેસની સરકારોએ આર્યોની સામાજિક સંસ્થા (NGO)ઓને કામ સોપવામાં આવ્યું. કે આ કાયદાનું આદિવાસીઓને ખબર પડવી જોઈએ નહી. એવું ષડયંત્ર કરવામાં આવ્યું. આપણા નેતાઓ પણ એમના જ કામો કર્યા આપણા કાર્ય કર્યા જ નથી.

ભારતીય સંવિધાનમાં ૭૩,૭૪ (બંધારણ સંશોધન) થયું એ આપણા આદિવાસીઓ માટે ખુંબ જ અગત્યનું છે. પણ એની જાણ આદિવાસી સમાજને કરવામાં આવી નહી. ૭૩મુ બંધારણીય સંશોધન થયું તેમાં ભારતના બંધારણના ભાગ (૯)માં પંચાયતોની જોગવાઈ છે. એ તારીખ ૨૪ એપ્રિલ ૧૯૯૩ થઈ લાગુ કરવામાં આવ્યું, બંધારણના ભાગ ૯ માં ૨૪૩ થી ૨૩૪ (ઓ) સુધી જોગવાઈઓ બનાવવામાં આવી. તેમાં બંધારણના ભાગ ૯ માં કલમ ૨૪૩ (એમ (૧) મુજબ પંચાયતી રાજ, અનુસૂચિત  ક્ષેત્રમાં (આદિવાસી વિસ્તારોમાં) લાગુ પડી શકે નહી. ત્યારે ભારતના બંધારણના ભાગ (૯)માં કલમ ૨૪૩(૪) બી) મુજબ સંસદ સભાને અધિકાર આપવામાં આવ્યું કે આદિવાસીઓ માટે ખાસ કાયદાની જોગવાઈ કરવામાં આવે સ્વશાશન કરી શકે અને જળ, જંગલ, જમીન અને ખનીજો સાચવી શકે  એટલા માટે “The provisions of the panchayats extension to the scheduled areas” [PPESA] Act, 1996 No.40 of 1996(24th December, 1996). આ કાયદાને સરકારો એ સતાડી મુકેલ છે પણ NGO, ઈન્ટરનેટ, રીપોર્ટ, સરકારી પુસ્તિકા  વગેરેમાં આ કાયદાનું નામ જ ખોટું લખે છે.panchayats extension to the scheduled areas જે The provisions (પ્રોવિઝન/જોગવાઈ)ઓ શબ્દને જ હટાવી દેવામાં આવેલ છે. પેસા કાયદો નામ આપવા લાગ્યા છે. પણ પી. પેસા ૧૯૯૬ કહેવાઈ.  કાયદામાં ૨૩ જોગવાઈ છે. એમાં ખાસ ગ્રામ સભા ને પાવર આપવા માં આવેલ છે. આદિવાસીઓને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવેલ છે. આદિવાસીની જમીનો સરકાર કે બિન આદિવાસી એ લીધી હોઈ તો તે પરત લઈ શકાય. ગ્રામસભા ફળીયે ફળીયે થાય. જંગલ, જમીનો, જળ અને ખનીજો પર આદિવાસીનો જ અધિકાર મળે છે. આદિવાસીઓને કોઈ વિસ્થાપિત ના કરી શકે. વિદેશી દારૂ અને જુગાર પર પ્રતિબંધ વગેરે આથિક, સામાજિક, રાજકીય, શૈક્ષણીક વગેરે બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર છે.  કાયદા મુજબ કલમ (૪) (ઓ) એ ખુબ જ અગત્યની કલમ છે. એમાં એવું કહે છે, કે ૬ઠ્ઠી અનુસૂચિમાં ૪ રાજયો આવે છે. આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, ત્યાં જીલ્લા લેવલે “સ્વશાસિત જીલ્લા પરિષદ” છે. તેમાં આદિવાસીઓ જ નેતૃત્વ કરે છે. તમામ બજેટ “સ્વશાસિત જીલ્લા પરિષદ”માં જાય છે. એના થકી ગામોમાં ગ્રામસભા મુજબ ફંડની ફાળવણી થઈને કાર્ય કરવામાં આવે છે. તો ઉપરોક્ત નવ રાજ્યો (આદિવાસી ક્ષેત્રો)માં આવે છે. ત્યાં ૬ઠ્ઠી સુચિની પેટર્ન “Autonomous district council” પી.પેસા કાયદો ૧૯૯૬ની કલમ (૪)(ઓ) મુજબ અમલ કરવાની જરૂર હોઈ છતાં સરકારો અમલ કરતા નથી. જો આ  “Autonomous district council” પેટર્ન આદિવાસી જિલ્લાઓમાં કરવામાં આવે તો તમામ બજેટનું, આદિવાસીઓ સ્વશાશન કરી શકે. એમાં કલેકટર, પ્રાંત કલેકટર, એસ.પી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, જંગલખાતાનું ચાલે નહી. રાજકીયપક્ષોનુ રાજકારણ પણ ખત્મ થઈ જાય છે. દિલ્હી, ગાંધીનગર અને નાગપુર થી જે સરકારોનું સંચાલન થાય છે. એ ખત્મ થાય છે. જે હાલમાં આદિવાસી વિસ્તારોમાં પંચાયતી રાજ મુજબ ચૂંટણી થાય છે. વ્યવસ્થા ચાલે છે. ૭૩માં બંધારણ સંશોધન એમાં કલમ ૨૪૩ (એમ૧) મુજબ  ગેરકાનૂની છે. ગેરબંધારણીય છે. એ બાબત સરકારને ખબર છે. પણ આ વ્યવસ્થા ચાલુ રાખેલ છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ચાલે છે. એ ગેરકાનૂની ચાલે છે. એના લીધે આદિવાસીઓમાં ભાગલા પડેલ છે. આદિવાસીઓના  અધિકારો છીનવી લેવામાં આવેલ છે. સરકારીતંત્રમાં દલાલો, બની બેઠેલા નેતાઓ આદિવાસીઓનું બજેટ ખાઈ જાય છે. જે હાલમાં તમામ ગ્રામસભામાં ઠરાવો થાય છે. એ ગેરકાનૂની રીતે થાય છે. સરકાર એજન્ટા બનાવે છે. અધિકારીઓ આવે છે. તલાટીઓ ઠરાવ લખે છે. ગામના લોકોનું સાંભળતા નથી. સરકારના ઠરાવ મુજબ કાર્ય થાય છે. સરકારીતંત્રવાળા સરકારી ચા, નાસ્તો કરીને જાય છે. શું આને આપણે વિકાસ કહેવાઈ?
ગ્રામસભા ચાર પ્રકારની હોઈ છે. (૧) આદિવાસી (વારસાગત, પારમ્પરિક) વારસાગત રીતે ગામના લોકો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા અને સામાજિક ન્યાય લેવામાં આવતો. (૨) પંચાયતી રાજ મુજબ જે સરકારીતંત્ર દ્વારા દલાલો ગ્રામસભા કરે છે. અને બધું મિલીભગત ખાઈ જાય છે. તે, ગ્રામસભા. (૩) વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ  કયો આદિવાસી જમીન ખેડાણ કરતો હતો, તેની ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે જે ગ્રામસભા. (૪) પી.પેસા કાયદો ૧૯૯૬ મુજબ (ફળીયે ફળીયે ગ્રામસભા થાય, નિર્ણય લેવાનો અધિકાર, જળ, જંગલ, જમીન, ખનીજ પર આદિવાસીનો અધિકાર. ફક્ત ગામના લોકો નિર્ણય લે. આ પી.પેસા ૧૯૯૬ની ગ્રામસભા આદિવાસી માટે મહત્વની છે.
૭૪મું બંધારણ સંશોધન મુજબ ભારતના બંધારણના ભાગ ૭ (કે)માં નગરપાલિકાઓની જોગવાઈ છે. તારીખ ૦૧ જુન ૧૯૯૩માં આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું. પણ બંધારણના ભાગ ૯ (કે)ના કલમ ૨૪૩(પી) થી ૨૪૩ ઝેડ જી સુધી જોગવાઈ બનાવવાના આવી. પણ બંધારણના ભાગ ૯ (કે)માં કલમ ૨૪૩ ઝેડ સી મુજબ નગરપાલિકાની ચુંટણીઓની વ્યવસ્થા આ અનુસુચિત ક્ષેત્રો (આદિવાસી વિસ્તારો)માં લાગુ પડી શકે નહી. પણ ઉપરોક્ત ભાગ ૯ (કે) કલમ ૨૪૩ ઝેડ શી (૩) મુજબ સંસદને અલગ કાયદો બનાવવાની સતા આપવામાં આવી જેથી કરીને આદિવાસીઓ સ્વ-શાશન કરી શકે. પણ આજદિન સુધી પી.પેસા કાયદા ૧૯૯૬ જેવો જ  “મેસા કાયદો” બનાવવામાં આવેલ નથી. જે આદિવાસી વિસ્તારમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ થાય છે. એ ગેરકાનૂની છે. ગેરબંધારણીય છે. હવે આદિવાસીનો વિકાસ કેમ થતો નથી? કારણ કે એક બાજુ પંચાયતી રાજ અને બીજી બાજુ નગરપાલિકા. આ બંને બાજુ આદિવાસીનું બજેટ જાય છે. આ ગેરકાનૂની વ્યવસ્થામાં બજેટ જતું રહે છે. તેથી આદિવાસીનો વિકાસ કાથી થવાનો? બધું બજેટ તો મિલીભગતો ખાઈ છે. તો પછી ગુજરાતમાં ૭૪% બાળકો કુપોષિત ૧.૪૭ લાખ અતિગંભીર કુપોષિત રહેવાના જ !

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો આ મુજબ છે. ઉચ્છલ, વ્યારા, મહુવા, માંડવી, નિઝર, વાલોડ, માંગરોળ, બારડોલી, દેડિયાપાડા, સાગબારા, વાલિયા, નાંદોદ, ઝઘડિયા, આહવા, વાંસદા, ધરમપુર, ચીખલી, પારડી, ઉમરગામ, ઝાલોદ, દાહોદ, સંતારામપુર, લીમખેડા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, નસવાડી, તિલકવાડા, ખેડબ્રહ્મા, ભિલોડા અને  મેઘરાજ. આ વિસ્તારોમાં પંચાયતી રાજ અને નગરપાલિકા ચાલે છે. જે ગેરબંધારણીય છે. આ વિસ્તારોમાં જળ, જંગલ, જમીનો, અને ખનીજો એટલા માટે સરકારના દલાલો લુંટે છે. કારણ કે વ્યવસ્થા ગેરકાનૂની છે. તેથી ડેમો, અભ્યારણ્ય, કોરીડોર, કંપની, હાઈવે, સરદારનું પુતળું, હોટલો અને ઇકો સેન્સીટીવ ઝોન વગેરે કામો પુર જોશમાં ચાલે છે. આપણી “ટ્રાયબલ સલાહકાર સમિતિ” ને કોઈ પડેલી નથી. દેશના રાજ્યપાલ પણ રાજકીય પાર્ટીના ચમચા થઈને બેઠા છે. એ પણ પોતાનો પાવર જાણતા નથી? આ દેશનો જે રાષ્ટ્રીયપતી પણ પાર્ટીઓની દલાલી કરવામાંથી ઉચા આવે તો ને ! તમામ સરકારીતંત્રના મોટી સતા પર બ્રામણ ! રાજકીયપાર્ટીઓ તો બધી જ સરખી. આદિવાસી વિસ્તારમાં સંસ્થાઓ ઘુસી ગઈ, સંગઠનના નામે આદિવાસીઓમાં ભાગલા તો પછી હવે આદિવાસી નું શું? આદિવાસીઓને અપીલ કરું છું, કે આ દેશ આદિવાસીનો જ દેશ છે. આપણું અસ્તિત્વ, ઓડ્ખ, સભ્યતા, કલ્ચર બચાવવા માંગતા હોઈ તો આપણે ફક્ત આદિવાસીના નામે એક થઈ ને લડીએ. તો આપણા હક્કો-અધિકારો આપણે છીનવી લઈએ. આપણા પૂર્વજો તો અભણ હતા, છતાં અંગ્રેજો સામે ૨૦૦થી વધુ યુદ્ધ લડયા હતા. બધામાં જીત મેળવી હતી. તો આજે તો આપણે ભણેલા ગણેલા છે. તો પછી સરકાર, બિન આદિવાસી થી ડરો છે? જો ડર લાગતો હોઈ તો આપણા તીરકામઠા કાઢો! આજે આપણે ના લડીએ તો આ દેશ માંથી આદિવાસી ખોવાઈ જશે.



[1] PH.D Research Scholar
School of Social Sciences
Centre for study in Society and Development
Central University of Gujarat, Gandhinagar.