Thursday 11 September 2014

ગરીબોની વાત અમીરો શું જાણે?


આજે ભારત દેશમાં લોકો વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે. અને એમાં ગુજરાત જેવું રાજ્ય તો  બધા રાજ્યોથી આગળ છે એમ કહેવામાં આવે છે. પણ ગુજરાતના આદિવાસીઓની  પરિસ્થિતિ સારી નથી. કારણ કે એ લોકોને સરકાર દ્વ્રારા વિકાસની વાતો કરવામાં આવે છે. પણ સરકાર કામ કરતી નથી. ખોટા ખોટા વિકાસના નામે રીપોર્ટ બનાવવામાં આવે છે. એના થી લોકોને કોઈ ફાયદો થતો નથી. ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ આવેલ છે. એમાં કેમિકલ્સ, હીરા, અન્ય ચીજવસ્તુઓનો પૂછકળ માત્રામાં ઉત્પાદન કરવામાં આવે છે. એનો ફાયદો સરકાર અને કંપનીના માલિકોને થાય છે. એમાં જે કામ કરનાર લોકો છે એ લોકો કામ કરતા જ રહી જાય છે. 




















ગુજરાતના  ગીર સોમનાથ જીલ્લામાં આવેલ વેરાવળમાં GIDCમાં ૧૫૦ થી વધુ કંપનીઓ છે. એમાં બરફ બનવાની કંપની અને માછલીનું પેકીંગ અને માછલી દેશ-વિદેશમાં વેચાણ કરવાનું કામ થાય છે. અહીંથી માછલી વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. એ લોકો કરોડો રૂપિયા કમાવે છે. મુડીવાદી લોકો પાસે કરોડો રૂપિયા છે. એ લોકોનું જીવન એશોઆરામથી જીવન જીવે છે. એ લોકોના બાળકો એક દિવસ સ્કૂલેના જાય તો બુમાબુમ થઈ જાય. પણ જો ગરીબોના બાળકો આખી જીંદગી સ્કૂલમાં ના જાય તો એ લોકોને પૂંછવાવાળુ કોઈ નથી. સરકાર પણ પૂંછવા માગતી નથી. સબીર સી ફૂડ કંપનીની આગળ એક બાળકની શું  દશા છે!  એ આપ જોઈ શકો છો. એવા હજારો લોકો આ દેશ છે. પણ સરકાર કોઈ પણ જાતના પગલા લેતી નથી. અને લોકો પણ ચૂપચાપ જીવન જીવે છે. લોકોને બીજા લોકો માટે સમય નથી. પણ જે લોકો સમાજ માટે વિચારે છે. એવા લોકોને અપીલ કરું છું. કે આપણા લોકોના અધિકાર માટે લડયે અને અધિકાર છીનવી લયે....જય આદિવાસી.....જાગો આદિવાસી............

No comments:

Post a Comment